શુક્લતીર્થ કાર્તિકી પૂનમના ધાર્મિક મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામું.

0

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર
મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ મેળામાં આજુબાજુનાં ગામોમાંથી મોટા પ્રમાણમાં સમુદાય એકત્રિત થશે.આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલને ભરૂચ સને ૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧) અન્વયે મળેલી સત્તાની રૂએ તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીના સમય માટે (બંને દીવસો સહિત ) શુક્લતીર્થ ગામના મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી નહી. પોલીસ ખાતા અથવા ગ્રામ પંચાયત તરફથી નિયત કરેલ જગ્યાએ જ ઉભી રાખવી. આ હુકમનું ઉલ્લધન કરનારને કાયદાની કલમ -૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

ભરૂચ ચાણક્ય સમાચાર

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *