અંકલેશ્વર આઈ.ટી.આઈ.ખાતે ઓગષ્ટ-૨૦૨૩ના સત્ર માટે પ્રવેશ મેળવવાની અંતિમ તક
પ્રવેશ વાંચ્છુકોએ તા.૧૦મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ3.
ભરૂચ- શનિવાર- રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર
આઈ.ટી.આઈ. ખાતે વર્તમાન ૨૦૨૩માં ખાલી રહેલ જુજ બેઠકોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોએ
સંસ્થા ખાતે રૂબરૂ આવી અથવા ઓનલાઇન http://itiadmission.gujarat.gov.in ઉપર વિનામુલ્યે પ્રવેશ
ફોર્મ/રજીસ્ટ્રેશન કરી શકાશે. જે ઉમેદવારે અગાઉ ફોર્મ ભર્યું હોય પરંતુ પ્રવેશ કન્ફર્મ ન કરાવ્યું હોય તેવા ઉમેદવારોને નવું
ફોર્મ ન ભરતા પ્રમાણપત્રો સહીત સંસ્થાની મુલાકાત લઇ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. ચોથા રાઉન્ડમાં પ્રવેશ ફોર્મ
/રજીસ્ટ્રેશન ફી પ્રવેશ કન્ફર્મ કરાવવાની અંતિમ તા.૧૦/૧૦/૨૦૨૩ રહેશે તેમ આઈ.ટી.આઈ.ના આચાર્યની યાદીમાં
જણાવાયું છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800