gujrat આઈ.ટી.આઈ અંકલેશ્વર ખાતે વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની અમૂલ્ય તક
gujrat ભરૂચ – શુક્રવાર – આઈ.ટી.આઈ અંકલેશ્વર ખાતે વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ માટે પ્રવેશ
પ્રક્રિયાની તારીખ 02/09/2024 થી 30/9/2024 સુધી લંબાવવામાં આવેલ છે જેમાં મિકેનિક
ડીઝલ, ટર્નર, મશીનીસ્ટ, સર્વેયર, તેમજ આ વર્ષે ઔદ્યોગિક ડિમાન્ડને અનુરૂપ નવા જ ચાલુ
કરવામાં આવેલ સોલર ટેકનિશિયન (ઇલેક્ટ્રીક), અને મિકેનિક ઈલેક્ટ્રિકલ વ્હીકલ જેવા ટ્રેડ તેમજ
સ્વરોજગારીમાં ખૂબ જ પ્રચલિત એવા પ્લમ્બર, આરમેચર મોટર રીવાઇડીંગમાં, બેઠકો મળી જુદા-
જુદા વ્યવસાયોમાં ખાલી બેઠક પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં
આવનાર છે.
રોજે રોજ એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમાં સવારે 09: 30 કલાકથી
સાંજના 04 :00 સુધી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે. ફોર્મ કન્ફર્મ કર્યા પછી ઓનલાઇન
રજીસ્ટ્રેશન ફી રૂ. 50/- ભરવાના રહેશે. ત્યારબાદ સાંજના 04:00 કલાક પછી જે તે દિવસનું મેરીટ
જનરેટ કરી તમામ ઉમેદવારોને એડમીશન આપવામાં આવશે. જેથી ઉમેદવાર એક જ દિવસ
હાજર રહી એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે અને બીજા જ દિવસથી તાલીમની શરૂઆત
કરી શકશે. તે માટે આઈ.ટી.આઈ. અંકલેશ્વર નો રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમ ઔધોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું
હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork