અંકલેશ્વર ખાતે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં અરજદારોને રૂબરૂ સાંભળી તાલુકા સ્વાગત હેઠળ ૩ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ.
ભરૂચ- બુધવાર- અંકલેશ્વર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે મામલતદાર શ્રી અંકલેશ્વરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તાલુકાના આ તાલુકાકક્ષાના જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાના નાગરિકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નીતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો તેવા પ્રશ્નો રજુ કર્યો હતા.
સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇને અરજદારોને રૂબરૂ સાંભળી તાલુકા સ્વાગત હેઠળ કુલ ૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર