ભરૂચ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી ઓક્ટોબરના રોજ યોજાશે

0

તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરના રોજ યોજાશે

કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી

ભરૂચ: ગુરુવાર- લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ તા. ૨૫મી ઓક્ટોબરે દરેક તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તા. ૨૬ મી ઓક્ટોબરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

તા. ૨૫મી ઓક્ટોબરે રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી અંકલેશ્વરમાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ભરૂચ (સિટીમાં ) તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ (ગ્રામ્ય) તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવા જણાવામાં આવ્યું છે.

વધુમાં, ઝધડીયા તાલુકામાં ના. કલેક્ટરશ્રી ભરૂચ, વાલીયા તાલુકામાં આ.કલેક્ટરશ્રી અંકલેશ્વર, આમોદ તાલુકામાં ના.
કલેક્ટરશ્રી જંબુસર, વાગરા તાલુકામાં ના. કલેક્ટરશ્રી ઝઘડીયા,જંબુસર તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચ, હાંસોટ તાલુકામાં ના. કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી, નેત્રંગ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત ) ભરૂચ હાજર રહેશે.

આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૨૫મી ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે – તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક તાલુકામાં જે તે તાલુકાના નાયબ કલેકટરશ્રી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે તેમ જિલ્લા કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *