સ્વચ્છતા હી સેવા ભરૂચના ઝઘડીયા તાલુકાના પીપરીપાન ગામ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું
ભરૂચના ઝઘડીયા તાલુકાના પીપરીપાન ગામે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એસ.બી.એમ.હેઠળ SHS અંતર્ગત જાહેર સ્થળો સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવા ઉદ્દેશ સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનની સફળતાનો શ્રેય રહેવાસીઓના ઉત્સાહ અને સમર્પણને આપી શકાય છે. તેઓએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું, કચરો દૂર કર્યો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી.




ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800